
આજે ગુરુ પૂર્ણિમા. સૌથી પહેલા તો મારા દરેક ગુરુ ને હૃદયપૂર્વક સાદર પ્રણામ અને આપ સૌને ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ.
વર્ષો થી આપણે ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ આપતા આવ્યા છીએ. આપણા શિક્ષકો અને ધાર્મિક ગુરુઓ ને વંદતા આવ્યા છીએ પણ આપણા માના બહુ ઓછા લોકો ગુરુ પૂર્ણિમા વિષે ની ખરી માહિતી ધરાવે છે. ગુરુ પૂર્ણિમા એ હિન્દૂ , બૌદ્ધ અને જૈન ધર્મ માં ઉજવાતો ખૂબ મહત્વનો તહેવાર છે અને આ ત્રણેય ધર્મ પ્રમાણેનો આનો ઇતિહાસ અલગ અલગ છે.
હિન્દૂ ધર્મ પ્રમાણે જે દિવસે ભગવાન શિવ આદિ યોગી માંથી આદિ ગુરુ બન્યા એ દિવસ થી ગુરુ પૂર્ણિમા ની ઉજવણી શરુ થઇ. ધાર્મિક માન્યતા પ્રમાણે હિમાલય પર એક દિવસ અચાનક એક આદિ યોગી પ્રગટ થયા. જેમને જોવા ઘણા લોકો ભેગા થયા. પણ આ આદિ યોગી નું તેજ બધા સહન ના કરી શક્યા. ધીમે ધીમે લોકો વિખરાયા અને માત્ર સાત લોકો બાકી રહ્યા જે આદિ યોગી ના અનુયાયી બનવા માટે તત્પર બન્યા. શરૂઆત માં આદિ યોગી એ એમની માંગણી ના સ્વીકારી , પણ સતત ૮૪ વર્ષ ના ધ્યાન અને આ સાત વ્યક્તિઓ ની પોતાના પ્રત્યેની આસક્તિ જોઈ ને શિવજી એ એમને પોતાના શિષ્યો તરીકે સ્વીકાર્યા. જે દિવસે શિવજી એ આ સાત શિષ્યો નું ગુરુ પેડ સ્વીકાર્યું , એ જ દિવસ થી શિવાજી આદિ યોગી મટી ને આદિ ગુરુ બન્યા. આ દિવસ એટલે હિન્દુ તારીખિયા પ્રમાણે અષાઢ મહિના ની પૂનમ નો દિવસ. અને આ સાત શિષ્યો એટલે સપ્તર્ષિ. જેમને આપણે રોજ રાત્રે આકાશ માં ટમટમતા જોઈએ છીએ. હિન્દુ ધર્મ પ્રમાણે આજ દિવસ થી પૃથ્વી પર ગુરુ શિષ્ય ની પરંપરા ની શરૂઆત થઇ. જે આજ સુધી ચાલી આવે છે.
બૌદ્ધ ધર્મ પ્રમાણે ગૌતમ બુદ્ધ એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કાર્ય પછી પોતાનું ત્રિકાળ જ્ઞાન વાપરી ને એવા પાંચ લોકો ને શોધી નાખ્યા કે જેઓ ઝડપ થી ધર્મ સમજી શકે અને એનો પ્રચાર અને પ્રસાર કરી શકે. જે દિવસે ગૌતમ બુદ્ધે આ પાંચ શિષ્યો ને પોતાનું જ્ઞાન પ્રદાન કર્યું એ દિવસ અષાઢ મહિના ની પૂર્ણિમા હતી. અને એ દિવસ થી બૌદ્ધ ધર્મ માટે ગુરુ પૂર્ણિમા ની શરૂઆત થઇ.
જૈન ધર્મ પ્રમાણે ૨૪ માં તીર્થંકર મહાવીર સ્વામી એ જયારે ઈંદ્રભૂતિ ગૌતમ ને પોતાના શિષ્ય તરીકે સ્વીકારી ને એમને ધર્મ જ્ઞાન આપ્યું અને ઈંદ્રભૂતિ ગૌતમ , જે પાછળ થી ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા, એ દિવસ ને ટર્મિનૉક ગુહ પૂર્ણિમા કે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આમ ધર્મ અલગ પણ સાર એક જ છે. અલગ અલગ ધર્મ માં જે દિવસ થી ગુરુ શિષ્ય પરંપરા ની શરૂઆત થઇ એ દિવસ ને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.
ગુરુ એ માત્ર તમારા શિક્ષક જ હોય એ જરૂરી નથી, ગુરુ એ કોઈ ધર્મ ગુરુ જ હોય એ પણ જરૂરી નથી. એવી કોઈ પણ વ્યક્તિ ગુરુ હોઈ શકે જે તમને સાચો માર્ગ ચીંધે અથવા સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે. જીવન ના અલગ અલગ પડાવ પર અલગ અલગ ગુરુઓ હોઈ શકે.ગુરુઓ હંમેશા વંદનીય જ હોય છે. પણ આજે જયારે એ ગુરુ શિષ્ય પરંપરા ને ઉજવવાનો ખાસ દિવસ છે ત્યારે ફરી એક વાર આપ સૌને ગુરુ પૂર્ણિમા ની ઘણી બધી શુભેચ્છાઓ. જીવન ના દરેક પડાવ પર આપણે યોગ્ય માર્ગ ચીંધનાર ગુરુઓ મળી રહે એવી પ્રાર્થના.