
ગઈકાલે રથયાત્રા ના દિવસે વણજોયું મહુર્ત હોવાના કારણે માત્ર અમદાવાદ શહેર માં જ ૭૦૦૦ જેટલા દ્વિ ચક્રી વાહનો અને ૨૫૦૦ ગાડીઓ નું વેચાણ થયું. મને ખાતરી છે કે દેશભર નો આ આંકડો ખૂબ ઉપર હોવાનો. નવું વાહન લેવું એ સારી બાબત છે. પણ એ આપણને કઈ રીતે નડશે એની શક્યતાઓ જણાવું.
૧) રસ્તા પર છે એટલા વાહનો પણ સમાતા નથી. એમાં બીજા નવા વાહનો નો ઉમેરો થશે. એટલે ટ્રાફિક ની સમસ્યા વકરશે.
૨) આપણે ત્યાં વધુ વસ્તી , અણઘડ શહેરવ્યવસ્થા અને નિયમો નું પાલન નહિ કરવાની વૃત્તિ ના કારણે પાર્કિંગ ની સમસ્યા પણ વધશે.
૩) વાહનો વધશે એટલે પેટ્રોલ ડીઝલ નો વપરાશ વધશે જેથી હવે ના પ્રદુષણ માં વધારો થશે.
૪) ટ્રાફિક ની સમસ્યા ના કારણે ધ્વનિ પ્રદુષણ પણ વધશે.
વાહન ખરીદતી વખતે આપણને આ બધી બાબતો નો ખ્યાલ નથી આવતો જે લાંબા ગાળે આપણી મુશ્કેલિઓ વધારવાની છે. પણ ખેર , આની સાથે એક સારા સમાચાર પણ છે. અને તે એ કે આમાંથી મોટાભાગ ની સમસ્યાઓ નો ઉકેલ હવે આપણી પાસે છે. અને એ છે બેટરી થી ચાલતા વાહનો. જે મોટાભાગે EV તરીકે ઓળખાય છે. એમાં પણ આ વખતે નીતિ આયોગે સરકાર ને આ બેટરી થી ચાલતા વાહનો માટે ની ખરીદી પર ગ્રાહક ને ખાસ વળતર મળી રહે એ માટે ની રજૂઆત કરી છે જે સરકાર એ મંજુર કરી છે.
દુનિયાભર માં પ્રદુષણ સામે લાડવા માટે અને કાર્બન નું ઉત્સર્જન ઘટાડવા માટે બેટરી થી ચાલતા વાહનો ને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. અને ભારત માં પણ હવે ઘણીં બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ ક્ષેત્ર માં પગપેસારો કરી રહી છે. આપણે ત્યાં આ પ્રકાર ના વાહનો વધુ પ્રખ્યાત નથી એનું સૌથી મોટું કારણ એ છે કે આવા વાહનો ખૂબ મોંઘા છે. જેમાં નીતિ આયોગ ના આ પગલાં થકી ગ્રાહક તરીકે આપણને ઘણો ફાયદો થઇ શકે. કેટલાક મુદ્દાઓ જેની આપણે અપેક્ષા રાખી શકીએ.
૧) યુનિયન કેબિનેટે બેટરી ની સાઈઝ પ્રમાણે વાહન ની ખરીદી પર દર એક કિલો વોટ આવર પર ૧૦૦૦૦ રસ ની છૂટ ને મંજૂરી આપી છે.
૨) આના થકી દ્વિચક્રી વાહનો કે જે ૨ થી ૪ કિલો વોટ આવર બેટરી થી ચાલતા હોય છે , એની ખરીદી પર ૨૦૦૦૦ થી ૪૦૦૦૦ રુઇયા સુધી ની છૂટ મળી શકશે. ૩ પૈડાં વાળા વાહનો પર ૫૦૦૦૦ થી ૧૦૦૦૦૦ રૂપિયા જેટલી છૂટ મળી શકશે અને ચાર પૈડાં વાળા વાહનો પર ૨૫૦૦૦૦ રૂપિયા સુધીની છૂટ મળી શકશે.
૩) આ પગલાં થી સરકાર બેટરી થી ચાલતા વાહનો નું વેચાણ વધવાની અપેક્ષા રાખે છે , જેથી પેટ્રોલ અને ડીઝલ નો વપરાશ ઘટે અને એના માટે ની આયાત પણ ઘટાડી શકાય.
૪) આ પગલાંથી પ્રદુષણ તો ચોક્કસ ઘટવાનું જ !
૫) આવા વાહનો માટે મોટા શહેરો માં અને હાઇવે પર દર અમુક થોડા અંતરે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનો પણ સરકાર નો ઈરાદો છે. જેથી બેટરી સંચાલિત વાહનો નો વપરાશ વધે.
અને છેલ્લે,
આ બધી જ વ્યવસ્થા છતાં છેલ્લી પસંદગી તો આપણી જ છે. આપણે કેવું ભવિષ્ય જોઈએ છીએ,અને આવનારી પેઢી ને આપણે કેવી દુનિયા આપવા માંગીએ છીએ એનો આધાર આપણી પસંદગી પર રહેલો છે.