
આજે અષાઢ સુદ બીજ , સમગ્ર દેશ માં રથયાત્રા નો પર્વ આજે ઉજવાઈ રહ્યો છે. દુનિયા ભર માં જગન્નાથ પુરી ની રથયાત્રા મશહૂર છે. એને લઇ ને કેટલીક એવી વાતો કહેવી છે જે આજ થી પહેલા તમે ક્યારેય નહીં જાણી હોય.
૧) ભારત માં થતી જગન્નાથ પુરી ની રથયાત્રા એ વિશ્વ ની સૌથી જૂની રથયાત્રા મનાય છે. એનો ઉલ્લેખ બ્રહ્મા પુરાણ , પદ્મ પુરાણ, સ્કંધ પુરાણ અને કપિલા પુરાણ માં પણ જોવા મળે છે.
૨) એવું મનાય છે કે ભગવાન જગન્નાથ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પોતાની માસી ના ઘરે જવા રથમાં નીકળે અને નગરચર્યા થાય એટલે રથયાત્રા ઉજવાય. આ ત્રણેય ના રથ ના અલગ અલગ નામ છે . ભગવાન જગન્નાથ નો રથ ‘ નંદી ઘોષ ‘ કહેવાય છે. જેને કુલ ૧૮ પૈડાં હોય છે. બલરામ ના રથ નું નામ ‘ તાલદ્વાજ’ જેને ૧૬ પૈડાં હોય છે અને સુભદ્રા ના રથ ને ‘ પદ્મ ધ્વજ ‘ કહેવાય છે જેને ૧૪ પૈડાં હોય છે.
૩) દર વર્ષે આ ત્રણેય રથ ને નવા બનાવવા માં આવે છે. એમાં તદ્દન નવું લાકડું અને નવો માલસામાન વપરાય છે. પણ એની બનાવટ સરખી જ રહે છે.
૪) આ રથ ની બનાવટ માં કોઈ પણ પ્રકાર ની આધુનિક સુવિધાઓ નો ઉપયોગ થતો નથી. ત્યાં સુધી કે એને માપવા માટે પણ હાથ અને આંગળીઓ નો ઉપયોગ થાય છે. આખા રથ ની બનાવટ માં ક્યાંય પણ એક પણ ખીલ્લી સુધ્ધાં મારવામાં આવતી નથી.
૫) આ રથો ની બનાવટ માં જે લાકડું વાપરવામાં આવે છે તે નજીક ના દશપલ્લાં અને રાણપુર ના જંગલો માંથી લાવવા માં આવે છે. જોકલે આ રથ માટે ઘણું લાકડું વપરાતું હોવાથી દર વર્ષે જેટલા વૃક્ષો કપાય એનાથી બમણા છોડ વાવવા માં આવે છે.
૬) રથયાત્રા શરુ થઇ એ વર્ષ થી આજ દિન સુધી એક પણ વર્ષ એવું નથી ગયું કે જયારે રથયાત્રા દરમ્યાન વરસાદ ના પડ્યો હોય.
૭) રથયાત્રા ના એક અઠવાડિયા પહેલા થી જગન્નાથ પુરી ના મંદિર ના દ્વાર બંધ રાખવામાં આવે છે. કારણકે એમ મનાય છે કે આ અઠવાડિયે ભગવાન જગન્નાથ ને તાવ આવતો હોય છે અને એટલે એ કોઈ ને પણ મળી શકતા નથી.
૮) જગન્નાથ મંદિર દુનિયા ના એવા કેટલાક મંદિરો માનું એક છે કે જ્યાં તહેવાર ની ઉજવણી સ્વરૂપે ભગવાન ને મંદિર માંથી બહાર કાઢવામાં આવે છે.
૯) રથયાત્રા ની શરૂઆત ત્યારે જ થઇ શકે છે જયારે એ પ્રદેશ ના રાજા સોના ની સવારની વડે ભગવાન ના મંદિર નું આંગણું વળે. આને પહિંદ ની વિધિ કહેવામાં આવે છે.
૧૦) પુરી ની રથયાત્રા માટે એમ મનાય છે કે રથયાત્રા ની શરૂઆત માં ગમે તેટલા માણસો બળ લગાવે એ રથ તસુ ભાર પણ એની જગ્યા એ થી હલતો નથી. આ રથ ત્યારે જ હાલે છે જયારે ભગવાન જગન્નાથ ની ઈચ્છા હોય.
અને છેલ્લે,
અંગ્રેજી ભાષા ના શબ્દ ‘ Juggernaut ‘ નો મૂળ શબ્દ જગન્નાથ છે. જયારે બ્રિટિશ અફસરો એ ભગવાન જગન્નાથ ના આટલા મોટા રથ જોયા , જેને જોઈ ને એ અભિભૂત થયેલા , એના પરથી એમને શબ્દ વિકસાવ્યો ‘ Juggernaut ‘ . જેનો મતલબ છે ખૂબ ભારે વાહન અથવા તાકાત કે જે અતિ બળવાન હોય.